Ghanshyam Maharaj Darshan 3
સંપૂર્ણ સુખ તો ભગવાનના સમીપમાં રહ્યું છે અને જેટલું ભગવાનથી છેટે થવાય છે, તેટલા સુખમાં ન્યૂનતા થાય છે, માટે જે મુમુક્ષુ હોય તે પોતાના હૃદયમાં એમ વિચારે જે, જેટલું મારે ભગવાનથી છેટું થાશે તેટલું દુઃખ થાશે ને મહાદુઃખિયો થાઈશ ને થોડેક ભગવાનને સંબંધે કરીને એવું સુખ થાય છે, માટે મારે ભગવાનનો સંબંધ અતિશે રાખવો ને હું અતિ સંબંધ રાખીશ તો મારે ઉત્કૃષ્ટ સુખની પ્રાપ્તિ થાશે. (પં. ૧)